Posts

Showing posts from May, 2023

નિત્ય સહાયક જ્યોત માર્ચ 2023

 પૈસો, પુણ્ય અને પરમેશ્વર ● વ્યાખ્યા... ● પૈસો... પૈસો એ માણસની આધુનિક જગતની લેવડ દેવડ અને વ્યવહારો માટેની શોધ છે. એના સ્વરૂપોમાં સમય પ્રમાણે પરિવર્તન આવતાં ગયાં છે. પરંતુ પૈસા માટેની લોભ લાલસા અને એને પામવાની ઉત્કંઠ ઉત્સુકતા આજે પણ પહેલાંના જેવી જ અને અકબંધ છે. પૈસો જીવન જીવવા માટે જરૂરી છે.પૈસાનો વિવેક પૂર્ણ ઉપયોગ માનવીને સુખનો અનુભવ કરાવી શકે છે. ● પુણ્ય...      પુણ્ય એ માનવના કાર્યો અને ગુણો આધારિત તકનું સર્જન છે. માણસ દ્વારા માણસના કલ્યાણ માટે થયેલું કાર્ય પુણ્ય મેળવી આપે છે. માણસના કર્મોના સારા, ઈચ્છનીય અને પરોપકારી પરિણામને આધારે એને પુણ્યનું લેબલ લાગે છે.પુણ્યનો મહિમા અનેરો છે. એ યુગ યુગથી ચાલ્યો આવે છે. પુણ્ય અને પૈસાને સીધો સંબંધ છે. પાપથી કમાયેલો પૈસો પણ પુણ્ય કમાવી આપે છે. જો કે પુણ્ય મેળવવા પૈસો એકમાત્ર સાધન નથી. ● પરમેશ્વર...      પરમેશ્વર એટલે વિશ્વ વિધાતા, સૃષ્ટિના સર્જનહાર, આપણા રક્ષક અને આપણને જીવાડનાર. પરમેશ્વરના નામ અને સ્વરૂપ ભિન્ન ભિન્ન છે. પૈસો આપનાર પરમેશ્વર જ છે. માણસના પુણ્યો માણસને પરમેશ્વર નજીક રાખે છે અથવા લઈ જાય છે.પુણ્યનો...